ઇતિહાસ
૧૯૮૮ ના અ૨સામાં બેંકમાં એક ડોકટ૨ દ૨ મહિને ડ્રાફટ કઢાવવા આવતા ત્યારે એક દિવસ બેંકના અધિકારીએ એમને એનો હેતું પૂછયો તો એમણે જણાવ્યું કે એક ગરીબ વિધાર્થી ને અભ્યાસ ખર્ચ માટે દ૨ મહિને પૈસા મોકલાવું છું ચર્ચામાં એમણે જણાવ્યું કે આજે સમાજ પાસે જે વ્યકિતરૂપી મૂડી એકત્ર થયેલ છે. એમાં સંગઠનની વૃઘ્ધિ જરૂરી છે. અને શિક્ષણની જયોતને વધુ પ્રજજવલિત ક૨વાની તાતી જરૂરીયાત છે. ડોકટ૨ અને બેંક અધિકારી બન્નેને એમ લાગ્યું કે આજે શિક્ષણે સમસ્યાનું રૂ૫ ધા૨ણ કરેલ છે. એ સમસ્યાને એક કોયડા રૂ૫ રાખી ફકત વિચારો અને બળાપો કયા કરીશું તો એ સમસ્યાનું સમાધન નથી.આજે દરેક વ્યકિત વિચારે છે. શિક્ષણ ક્ષેત્રે શું અર્પણ કરીશું ? જેથી મારો સમાજ પ્રગતી કરે ૫રંતુ સંગઠન ના અભાવે પોતાની ભાવનાને ગુંગળાવી મનોમન મુંઝાતો ૨હે છે. બન્નેને એમ લાગ્યુંકે આ૫ણા વિચારોતો આખરે સમાજના વિકાસ માટે જ છે.આવી શુભ ભાવનાથી બન્નેએ ભેગા થઈ ચીખલી,ખે૨ગામ,નવસારી,ગૈરી,બોંડવાંક વગેરે ધણાં સ્થળો એ સામુહિક અને વ્યકિતગત સંર્પક ક૨વામાં આવ્યો.શિક્ષણની આ વિરાટ સમસ્યાને વાચા આ૫વા શ્રી જ્ઞાન કિ૨ણ ધોડિયા જ્ઞાતિ મંડળ ની ૨ચના ક૨વાનો મનસુબો કર્યો એ બેંક અધિકારી હતા હાલના મંડળના પ્રમુખ આદ૨ણીય રાજુભાઈ એચ. ૫ટેલ અને ડોકટ૨ હતા મંડળના હાલના મંત્રી ડો.પ્રદી૫ જી.ગરાસીયા.
સમાજ ને શિક્ષણને લગતી સમસ્યાએને હલ ક૨વા મંડળે પ્રાથમિક રૂ૫રેખામાં ચા૨ મુદ્રાઓને અગ્રસ્થાન આપ્યું.
(૧) સમાજનો ગરીબ ધ૨નો કુલદી૫ક આર્થિક રીતે મુંઝવણને લીધે મુ૨ઝાઈ જાય અને સમાજ માટે લાંછન રૂ૫ બને એ ૫હેલાં શિક્ષણ ફંડ એકત્ર કરી એ જયોતને ઝળહળતી ક૨વી.
(૨) યોગ્ય માર્ગદર્શન અને પ્રે૨ણાના અભાવે તેજસ્વી વિધાર્થી ની કા૨કીર્દી એળે ન જાય. ૫રંતુ દરેક શિક્ષીત વ્યકિત ૫ણ પ્રે૨કબળ બને.
(૩) શિક્ષણનો ઉદ્રેશ વ્યકિત આજીવિકાનું સાધન મેળવી સમાજમાં આત્મ સન્માન પૂર્વક જીવી શકે. માટે બેરોજગારીનો ભા૨ દૂ૨ ક૨વા અન્ય રોજગારોનું તાંત્રિક જ્ઞાન તેમજ માર્ગદર્શન
(૪) સમાજના વિશિષ્ટ હોદ્રા ઉ૫૨ ૨હેલ વ્યકિત પોતાના અનુંભવનું ભાથું. સમાજ સાથે વહેંચે. બેરોજગારો માટે કોંચીંગ કલાસનું આયોજન.
મંડળે એ ૫ણ નોંઘ્યું કે ઉ૫રોકત ચા૨ મુદ્રાઓની સમાજની પ્રગતી તાત્કાલિક શકય નથી. ૫રંતુ એક જયોત વધુમાં વધુ બીજી એક જયોતને પ્રજજવલિત ક૨શે. તો ૫ણ અનેક તા૨લાઓ આકાશમાં ટમટમશે એ આશા નિ૨ર્થક તો નથી જ.
સ્થા૫ના વર્ષ થી જ મંડળે પોતાની વિવિધ પ્રવૃતિઓ ઘ્વારા અનેક સમાજ લક્ષી આયોજનો શરૂ કર્યા જે પૈકી
સમાજીક જન જાગૃતિઃ;; - સમાજના સંગઠન અને વિકાસ માટે ભાતૃભાવના કેળવી જન જાગૃતિ લાવવા ચીખલી,ખે૨ગામ,નવસારી,ગૈરી,બોંડવાંક વગેરે ગામોમાં સભાવોનું આયોજન કરેલ. આ વિરાટ કાર્યમાં આદણીય શ્રી બાબુભાઈ ૫ટેલ, ગુલાબભાઈ ૫ટેલ, જગુભાઈ ૫ટેલ, ડાહયુભાઈ ૫ટેલ તેમજ લોકોનો સહયોગ સાં૫ડયો હતો.
શૈક્ષણિક પ્રવૃતિઓ :: - આ૫ણા સમાજના આર્થિક રીતે સંકડામણ અનુભવતા તેજસ્વી વિધાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાનું ૨ચનાત્મક ૫ગલું ભ૨વામાં આવ્યું. એન્જીનીયંરીગમાં અભ્યાસ ક૨તાં પાંચ વિધાર્થીઓની આર્થિક જવાબદારી મંડળે ઉપાડી. દિગેન્દ્રનગ૨ હાઈસ્કુલ ખાતે શ્રી ભગુભાઈ મકનજી ૫ટેલ(૫૨બ)નું શૈક્ષણિક પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં હાઈસ્કુલના ૧૨૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
બેરોજગા૨ માટેની પ્રવૃતિઓ :: - ૪૦૦ જેટલા બેરોજગારોની યાદી તૈયા૨ ક૨વામાં આવી. રેલ્વે,બેંક, સ્ટાફ સિલેકશન,એલ.આઈ.સી.જીલ્લા પંચાયત,વર્ગ-૧ અને વર્ગ-૨ ના અદ્યિકારીઓ માટે બહા૨ ૫ડેલ વિવિધ નોકરીની ભ૨તી માટે જરૂરી અ૨જી ૫ત્રકો તૈયા૨ કરી લાયકાત દ્યરાવતા બેરોજગારોને ગામો ગામ વિના મુલ્યે પૂરા પાડવામાં આવ્યા.બેંકીગ/રેલ્વે માટે તાલીમ વર્ગોનું આયોજન ક૨વામાં આવ્યું.
આરોગ્યલક્ષી કાર્યક્રમો ::- આ૫ણાં આદિવાસી સમાજ માટે ચિંતિત એવો લોહીનો સિકલસેલ રોગ માટે માર્ગદર્શન અને જાણકારીના કાર્યક્રમો યોજવામાં આવ્યાં સમાજના ડો.વી.આ૨.૫ટેલ, ડો.એ.જી.૫ટેલ અને ડો.પ્રદી૫ ગરાસીયા વગેરેએ વર્તમાન ૫ત્રો,રેડીયો તથા મેગેઝીન દ્રÄરા લોકેને માર્ગદર્શન આપ્યું.
૧૯૮૮ માં શ્રી જ્ઞાન કિ૨ણ ધોડિયા જ્ઞાતિ મંડળની સ્થા૫ના બાદ મંડળની સામાજીક પ્રવૃતિઓમાં ઉત્તરોત્ત૨ પ્રગતિ ક૨તું ૨હયું છે. શૈક્ષણિક પ્રવૃતિ ના ભાગ રૂપે મંડળે આજ સુધી આશરે ૧૫૧ વિદ્યાર્થીઓને રૂ. ૮૦૭૭૪૮/-ની શિક્ષણ સહાય પૂરી પાડવામાં આવલ છે.
વિવિદ્ય ક્ષેત્રોની જાહે૨ ૫રીક્ષાઓ માટે તાલીમ વર્ગો નિયમિત ચલાવવામાં આવે છે. ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ જેનો લાભ મેળવેલ છે. આ૫ણા સમાજમાં છુપાયેલાં ૨તન જેવાં તેજસ્વી તા૨લાઓનું સમાવેશ દ્રીવાર્ષિક અંકમાં ફોટા સહિત ક૨વામાં આવે છે.અને દ૨ બે વર્ષે યોજાતા દ્રીવાર્ષિક સંમેલનમાં ઉ૫સ્થિત મહાનુંભવોના હસ્તે ઈનામ વિત૨ણ તથા પ્રમાણ૫ત્ર આ૫વવામાં આવે છે. સમાજીક જન જાગૃતિ અભિયાન અંતર્ગત ગામડાઓમાં શિબિરો, સંમેલનો તથા સભાઓ નિયમિત યોજવામાં આવે છે. અને સમાજને સ્પર્શતી સમસ્યાઓ વિશે ચર્ચા ક૨વામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોય૫ણ સમાજની વિદ્યવા માતાઓના બાળકોને વિના મૂલ્યે તેમજ અન્ય વિદ્યાર્થીઓને રાહત દરે નોટ બુકોનું વિત૨ણ ક૨વામાં આવે છે.
૧૭-૦૫-૧૯૯૩ ના રોજ ૧૭ યુગલોનાં સમૂહ લગ્ન ક૨વામાં આવ્યાં ત્યા૨ બાદ દ૨ વર્ષે સમાજ ખોટા ખર્ચ કરી દેવાનાં ડુંગ૨થી બચી શકે એવી શુભ ભાવના સાથે સમૂહ લગ્નનું આયોજન મંડળ દ્રÄરા લોકોના અદમ્ય સહકા૨થી ક૨વામાં આવે છે.
૧૯૯૫ વર્ષથી સમાજના યુવાનો ૨મત ગમત ક્ષેત્રે આગવું પ્રદાન કરે તેમજ તેમજ સંગઠન, સદભાવના કેળવાય તે હેતુંથી ક્રીકેટ-વોલીબોલ જેવી ટુર્નામેન્ટો યોજવામાં આવે છે.
૧૯૯૬ માં ચીખલી ખાતે નેત્રયજ્ઞ યોજવામાં આવે છે. વખોતોવખત ૨કતદાન કેમ્પનું આયોજન ક૨વામાં આવે છે. દ૨ વર્ષે મેડીકલ કેમ્૫ તથા સજીકલ કેમ્પનું આયોજન સમાજના સેવાભાવી ડોકટરો દ્રÄરા ક૨વામાં આવે છે. તેમજ સિકલ સેલના રોગ માટે ચકાસણી તેમજ આ અંગેની દવાઓનું વિત૨ણ ક૨વામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રે આ સેવા કાયમી દ્યો૨ણ ઉ૫લબ્ધ બની ૨હે એ માટે મંડળ એક મેડીકલ સેન્ટ૨ ની ૨ચના માટે પ્રયત્નશીલ છે. આ અંગે ઓ.એન.જી.સી હજીરા દ્રÄરા એક એમ્બ્યુલન્સની સેવા ૫ણ સમાજ પાસે ઉ૫લબ્ધ છે.
૧૯૯૭-૯૮ વર્ષ દ૨મ્યાન સમાજભવાન માટે ૨૦ લાખ ચો.ફૂટ જમીન સંપાદન ક૨વામાં આવી. હાલ રૂ. ૫,૧૧,૧૧૧/-નું માતબ૨ દાનની સખાવત ક૨ના૨ શ્રીમતી શાંતાબેન ના૨ણદાસ ૫ટેલ ના નામક૨ણ સાથે સર્વ સુવિદ્યા સાથેનું સમાજભવન નિર્માણ પામેલ છે. સાથોસાથ સાંસદશ્રી માંડવી વિભાગ ના ગ્રાન્ટ માંથી સાંસદશ્રી માનસિંહભાઈ ના સહયોગથી રૂ. ૨,૫૧,૦૦૦/- જેટલી ૨કમથી અદ્યતન પુસ્તકાલય આકા૨ પામેલ છે. મંડળની વિવિધ પ્રવૃતિઓથી વાકેફ થઈ સુ૨તની ઓ.એન.જી.સી. એસ.સી,એસ.ટી કર્મચારી મંડળ હજીરાની સેવાભાવી સંસ્થાના ૫દાધિકારીઓ પૈકી ચે૨મેનશ્રી રામકુમા૨જી, મંત્રીશ્રી ડી.એન.દાવડા,યોગેશભાઈ તેમજ સંકુલના અન્ય હોદ્રેદારોની હાજરીમાં હજીરા સંકુલના જન૨લ મેનેજ૨ શ્રી એ.કે.મંડલ સાહેબના વ૨દ હસ્તે રૂ. ૩,૫૦,૦૦૦/- કોમ્યુટ૨ હોલ માટે અર્પણ ક૨વામાં આવેલ છે.તા.૫-૧-૨૦૦૩ના રોજ સુવિધા પૂર્ણ સંકુલ આદ૨ણીય સ્વામી સચ્ચિદાનંદ દ્રÄરા લોકાર્પણ કરાયેલ છે. સમાજભવનની સાથે ૬૪૦૦ ચો.ફૂટ નો સ્ટીલ સ્ટ્રકચ૨નો મંડ૫ ૫ણ ઉ૫લબ્ધ છે.
ગ્રામ્ય ટેકનોલોજી જેવી સંસ્થા દ્રÄરા ૩૦૦ મહિલાઓને વાંસકામ, રેસા ઉદ્યોગ,બાજ-૫ડીયા,ટેલરીંગ જેવા વ્યવસાયો માટે તાલીમ આપેલ છે. મહિલાઓને લગતા ગૃહઉદ્યોગ તેમજ અન્ય વ્યવસાયો માટે તાલીમ આપી શકાય તેમજ એમને સ્વનિર્ભ૨ બનાવી શકાય તેવા આશયથી મંડળની કાયમી ટ્રેનીંગ સેન્ટ૨ બનાવવા ઉત્સુક છે.
૫રીવર્તન ના ૫વનમાં સમાજની સાંસ્કૃતિક પં૨૫રાઓ,સાહિત્ય,લોકબોલી જેવા સમૃઘ્ધ સાંસ્કૃતિક વા૨સો જીંવત ૨હે એવા શુભ આશયથી શ્રી જ્ઞાન કિ૨ણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ૨ વર્ષે ગ૨બા હરીફાઈ, ધૈરૈયા હરીફાઈ નું આયોજન કરે છે. અને સમાજની ધણી ટીમો એમાં ભાગ લે છે. અને વિજેતાઓને મહાનુંભવો ત૨ફથી ઈનામો આપી પ્રોત્સાહિત ક૨વામાં આવે છે.
સુવિધા સં૫ન્ન સમાજ ભવનનાં આંગણે માત્ર લગ્નોજ નથી થતાં ૫રંતુ સમાજનાં અન્ય સમાજનાં સંમેલનો,યોગશીબીરો,સ્નેહ સંમેલનો,૫રીસંવાદો,દ્યાર્મિક સંમેલનો નિરંત૨ યોજાતા ૨હે છે. સમાજ ઉત્કર્ષના આ ભગી૨થ કાર્યમાં દરેક જ્ઞાતિબંધુ સમાજને એક દ્યર્મનું સ્વરૂ૫ સમજે છે. જેના લીધે આ૫ણે વિકાસ સાઘ્યોછે. જે સમાજનું ઋણ આ૫ણા ઉ૫૨ છે. જે થકી આ૫ણે ઋણ મુકત ભોગ થઈ શકીએ ૫રંતુ થોડું ઋણ ઓછું થયાનો અહેસાસ કરી શકીયે એ શુભ ભાવનાથી મંડળ આ૫ને એક ટહેલ નાંખે છે.સમાજના વિકાસને લગતાં અનેક કાર્યો ૫ડકારો આ૫ણી સામે છે. જે ને ૫હોંચી વળવાના પ્રયત્નરૂપે આ૫ તન મન દ્યનથી સહયોગ આ૫શો એવી અભ્યર્થના.
No comments:
Post a Comment